
બાળકો બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખે અને પર્યાવરણનું જતન કરે તે હેતુસર જી એન્ડ જી વી કડીવાળા સ્કૂલ, પ્રાથમિક વિભાગમાં 'નંદિની 'શ્રી સુરત પાંજરાપોળના ઉપક્રમે ગૌ રક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધોરણ પાંચ થી આઠના વિદ્યાર્થીઓને ગાયો કેવી રીતે પ્લાસ્ટિકની થેલીઓ આરોગી મુશ્કેલીમાં મુકાય છે તે વિડીયો દ્વારા સમજાવ્યું હતું. પાંજરાપોળમાં ગાયોના થતા ઓપરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ કેવી રીતે દૂર કરવામાં આવે છે તે પણ બતાવી હતી. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવા માટેની સમજ આપવામાં આવી હતી. પાંજરાપોળના ટ્રસ્ટી,ડોક્ટર તેમજ અન્ય સહકાર્યકારોએ ઉપસ્થિત રહી ગાયોને બચાવવા માટેની હાકલ કરી હતી.
Click Here....... For Photo Gallery